-
કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ ઇન્દોર નો પરિચય.
-
૧૯૪૨ ના સ્વાતંત્ર્ય - સંગ્રામને કારણે આગાખાન મહેલમાં કારાવાસ ભોગવતાં કસ્તુરબા ગાંધીનો ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ માં શિવરાત્રિના મહાપર્વે દેહવિલય થયો. ગાંધીજી તથા દેશવાસીઓએ એક આંચકો અનુભવ્યો. ૨ ઓકટોબર, ૧૯૪૪ ના રોજ દેશવાસીઓએ “બા” ના સ્મારક માટે ગાંધીજીને રૂપિયા ૧ કરોડ ૩૦ લાખની થેલી અર્પણ કરી. આ રકમ દ્વારા કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સ્થાપના થઈ અને ગાંધીજી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. ગાંધીજીની ઈચ્છા હતી કે સ્મારક એવું બને કે જે દ્વારા બાના જીવનલક્ષની પૂર્તિ થાય અને બાનું સ્વયં જીવન પ્રત્યક્ષ થાય.
-
સ્વતંત્ર ભારતમાં મહિલા બાળ કલ્યાણના ક્ષેત્રમાં તમામ સેવાકાર્યની ગંગોત્રી જો કસ્તુરબા ટ્રસ્ટને માનીએ તો તે અતિશયોક્તિ નહીં ગણાય. સંસાધનોની બહુલતા અને સમાજસેવાને ધંધાકીય રીતે ચલાવનારા એન.જી.ઓ.ની જાળ વચ્ચે ગાંધીવિચારના નક્કર પાયા પર સ્થપાયેલી અને સેવિકાઓનું સમપર્ણ એ કસ્તુરબા ટ્રસ્ટની વિશિષ્ઠ ઓળખાણ છે.
-
સૂચના ટેકનોલોજી અને ઝડપથી મીડિયાના દિશાહીન વિસ્ફોટને કારણે જીવનમૂલ્ય અને સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે. ટ્રસ્ટનું મુખ્ય કાર્યાલય કસ્તુરબાગ્રામ, ઈન્દોર વિપરીત પરિસ્થિતિમાં પણ સ્વાથ્ય, બાળશિક્ષણ, કન્યાઓનું શિક્ષણ, જાગૃતિ કાર્યક્રમ, પર્યાવરણ, ખેતી, ગૌશાળા. ખેડૂતો અને મહિલાઓનું પ્રશિક્ષણ, સામાજિક અને આર્થિક કાર્યક્રમ, સફાઈ, પરિવાર પરામર્શ કેન્દ્ર, બેટી બચાવો અભિયાન, સાક્ષરતા વગેરે આ પર કામ કરી રહ્યું છે. “બાનું ઘર’ અને ‘શાંતિ સદભવનાં કાર્યપર ટ્રસ્ટ વધારે ભાર મૂકે છે.
-
દેશમાં ટ્રસ્ટ તરફથી ૨૨ રાજ્યોમાં કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટના એકમો સ્થપાયા છે. આ એકમો દરેક રાજ્યમાં સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે સ્ત્રીઓ તથા બાળકો માટે શૈક્ષણિક અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
-
સંશ્થા પરિચય (ગુજરાત શાખા કોબા)
ગુજરાત રાજ્યનું એકમ૧૯૪પ માં શરૂ થયું. ૧૯૫૨ માં ટ્રસ્ટ તરફથી સાબરમતી નદીને કિનારે ૧૧૦ વીઘા જમીન ખરીદી કસ્તુરબા વિદ્યાલયની સ્થાપના કરી. સંસ્થાનો પાયો પંડિત જવાહરલાલ નેહરુના હસ્તે નંખાયો. સર્વશ્રી રાજેન્દ્રબાબુ, રાધાકૃષ્ણનું અને સંત વિનોબા ભાવે જેવા મહાનુભાવોના પ્રત્યક્ષ આશીર્વાદ મેળવવા સંસ્થા ભાગ્યશાળી નિવડી. કસ્તુરબા વિદ્યાલય ગ્રામવિસ્તારની બહેનો માટે શિક્ષણ, તાલીમ તેમજ આશ્રયના ધામરૂપબન્યું છે.
-
કસ્તુરબા ટ્રસ્ટ સંશ્થા દ્વારા ૫ ઘોડિયાઘર, સ્ત્રી આરોગ્ય સેવા, બાળ આરોગ્ય સેવા, બાનું ઘર, ડી.એલ.એડ કોલેજ, બેનો નું છાત્રાલય, ખેતીવાડી તેમજ મહિલા મંડળોનો સમાવેશ થાય છે.
-
કાર્યક્ષેત્રઃ
પ્રવૃત્તિઓ:
(૧) ડી. એલ. એડ. કોલેજઃ
સંસ્થામાં ચાલતી પ્રાઈમરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ, જેમાં ગામડાંની ધો.૧૨ માં પાસ થયેલ બહેનોને છાત્રાલયમાં બે વર્ષ રાખી શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસની સાથે છાત્રાલયમાં રહી સમૂહજીવનના સંસ્કારો આપી વ્યક્તિત્વ ઘડતરની સુંદર કામગીરી થાય છે.
(૨) ઘોડિયાઘર:
(૩) બાળકલ્યાણ
(૪) બાળશિક્ષણ
(૫) ખેતમજૂર બહેનોનાં બાળકોનાં માટે ઘોડિયાઘરો
(૬) મહિલા મંડળઃ
(૭) પ્રૌઢશિક્ષણ
(૮) ઉદ્યોગ તાલીમ
(9) ગ્રામસેવા
(૧૦) નેતૃત્વ તાલીમ
(૧૧) સંસ્કાર
(૧૨) મહિલા જાગૃતિ શિબિર
(૧૩) યુવતી વિકાસ કેન્દ્ર
(૧૪) બાનું ઘર :
આપણા સમાજમાં એક યા બીજા કારણોસર મહિલાઓને યાતના વેઠવી પડતી હોય છે. વિવર
વલ, જેનો પતિ જેલમાં હોય કે લાંબી માંદગીને કારણે કમાવા માટે અશકત હોય તેવી, જાતિય પણનો ભોગ બનેલી હોય કે અન્ય આપત્તિમાં આવી પડેલી હોય તેવી મહિલાઓના પ્રશ્નોના
ન્યથા પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધીનું આશ્રયસ્થાન એટલે “બાનું ઘર’. મુશ્કેલીમાં આવી પડેલી બહેનોને અહીં સ્નેહ અને આદર મળે છે. સિવણ, ટાઈપ, ભરતગુંથણ કે અન્ય ગૃહઉદ્યોગની તાલીમ દ્વારા પગભર કરવામાં આવે છે અને તેમનામાં આત્મસન્માનની લાગણી પેદા કરવામાં આવે છે. તેમના જીવનના અંગત પ્રશ્નોનો સમાધાનકારી ઉકેલ મળી આવે તે માટે પ્રયત્ન થાય છે. કૌટુંબિક કલહના પ્રશ્નો ઉકેલાય છે.
-
બાના ઘરમાં કોઈ પણ ધર્મ, વર્ણ કે નાતનજાતની બહેન આશ્રય લઈ શકે છે અને પોતાનું જીવનઘડતર કરી સમાજમાં ગૌરવભેર પુનઃ સ્થાપિત થઈ શકે છે. બહેનો તેમનાં માબાપને આશ્રયે પિયરમાં આવી હોય તેમ રાખી તેમને સુરક્ષા આપવામાં આવે છે.
-
કસ્તુરબા ટ્રસ્ટ નીચે પ્રમાણે રજિસ્ટર્ડ છે:
(1) Madhya Pradesh Public Trust, Act. 1951 Reg. NO. Q/Ri/64. Dt. 8-1-1964
(2) Indian Income Tax Act, 1961 Act. Reg. No. CIT/MP Trust/Indore/3/74 on Dt. 12-12-1973
(3) Pan No.AAATK9415D
(4) Notifide Institution by Government of India. Department of revenue and banking U/S-10
(23c)/(IV) of Income Tax Act 1961 - exempting the Income of the trust from tax
notification No. 1663 (197)/108/76/II (Ai) Dt. 19-2-1977
(5) Approved under Section 80G of Income Tax Act, 1961 entiling tax rebate to the donors on the donations to the Trust Notification No. F/P-2 Indore/8/82 Bhopal Dt. 22-2-1983
-
હાલ ટ્રસ્ટના અધ્યક્ષા ડો. કરુણાકર ત્રિવેદી છે. ગુજરાતના ટ્રસ્ટીઓમાં સર્વ શ્રી વિમળાબહેન એસ. લાલભાઈ અને રીમાબહેન નાણાવટી છે.